પાટણના નવાગંજ સ્થિત શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરે તિરંગા ની આગી રચના કરાઈ..

પાટણ તા. 26
શહેરના નવાગંજ બજારમાં આવેલ શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલ મા 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે શ્રી મહાલક્ષ્મી માતાજી ને દેશની આન બાન અને શાન સમા તિરંગા ની આગી રચના કરવામાં આવતા ભક્તિ ના વાતાવરણ વચ્ચે દેશભક્તિ નો માહોલ સજૉયો હતો.