fbpx

પાટણના ખલીપુર નજીક રેલવેની ટક્કરે અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું…

Date:

રેલ્વે પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી..

પાટણ તા. 31
પાટણનાં ખલીપુર રેલવે ટ્રેક ઉપરથી બુધવાર ના રોજ કોઈ અજાણ્યા યુવાનની રેલવેની ટક્કરે મોત નીપજેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો બનાવના પગલે રેલવે પોલીસે ઘટના સ્થળે લાશનું પંચનામુ પીએમ અર્થે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ બુધવાર ની વહેલી સવારે પાટણ થી ભીલડી તરફ જતી રેલવે ની હડફેટે અગમ્ય કારણોસર કોઈ યુવાન આવતા તેનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ લોકોને થતાં ધટના સ્થળ પર ઉમટી પડ્યા હતાં અને બનાવની જાણ રેલવે પોલીસ ને કરતાં તેઓએ ધટના સ્થળે દોડી આવી અજાણ્યા યુવાનની લાશ નું પંચનામું કરી લાશને પીએમ અર્થ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા યુવકના પરિવારની ભાળ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનોને વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ અંતર્ગત ૬ દિવસની તાલીમ અપાઈ.

જિલ્લામાં સ્વ સહાય જૂથની બહેનોને વન ગ્રામ પંચાયત, વન બિઝનેસ કોરસ્પોન્ડન્સ અંતર્ગત ૬ દિવસની તાલીમ અપાઈ. ~ #369News