કારમાં સવારો ને સ્થળ પર હાજર લોકો એ બહાર કાઢ્યાં..
પાટણ તા. ૮
પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીકનાં ઇન્ટિરિયર માર્ગ પરની માઈનોર કેનાલમાં રવિવારે સાંજના સમયે કોઈ કાર ચાલકની કાર અગમ્ય કારણોસર આ માઈનોર કેનાલમાં ખાબકી હતી. જોકે બનાવ ના પગલે સ્થળ પર હાજર લોકો એ કારમાં સવારોને બહાર કાઢી તેઓને નાની મોટી ઈજાઓ થઈ હોય સારવાર અર્થે ખસેડી માઈનોર કેનાલમાં ખાબકેલ કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
જોકે કયાં કારણોસર આ માઈનોર કેનાલમાં કાર ખાબકી હોય તે જાણી શકાયું નથી પરંતુ બનાવના પગલે લોકો ના ટોળા ધટના સ્થળે ઉમટી પડ્યા હતાં. થોડા સમય પહેલા પણ પદ્મનાભ ચાર રસ્તા નજીક ની કેનાલમાં કાર ખાબકી હોવાની ઘટના સજૉઈ હોવાનું વિસ્તારના લોકો એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી