પાટણ તા. ૨
પાટણમાં રેડક્રોસ ભવનની સામે આવેલ અખંડઆનંદ સોસાયટી ખાતે ના શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર ખાતે આખો શ્રાવણ માસ ભક્તિ સભર કાર્યક્રમ સાથે ઉત્સવો ઉજવવામાં આવ્યાં હતાં. સોમવારે સૌમવતી અમાવસ્યાને શ્રાવણ માસના અંતિમ દિવસે શ્રી અખંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ યાગ યજ્ઞ કરવામાં આવેલ હતો. આ યજ્ઞના યજમાન પદે સોસાયટી ના રહીશ પ્રશાંતભાઈ હરિપ્રસાદ ત્રિવેદી પરિવારે લ્હાવો લીધો હતો.
શિવ યાગ યજ્ઞની પુણૉહૂતિ પ્રસંગે સોસાયટી પરિવારના દરેક સભ્યોએ ઉપસ્થિત રહી દશૅન નો લ્હાવો પ્રાપ્ત કરી યજમાન પરિવાર દ્વારા આયોજિત સમૂહ પ્રસાદ ગ્રહણ કરી સોસાયટી ના અબાલ- વૃધ્ધ સૌએ મોડી રાત્ર સુધી ભગવાન શિવની પુજા અચૅના અને ધાર્મિક ઉત્સવો ઉજવી શ્રાવણ માસના સમાપને વિશ્વ કલ્યાણ ની કામનાઓ વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી