fbpx

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ની વર્ષ 2022 માં 3,40,987 ભારતીય અને 850 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી..

Date:

રાણકીવાવ નાં કારણે પુરાતત્વ વિભાગને એક વર્ષ માં રૂ.1.41 કરોડની આવક પ્રાપ્ત થઈ..

પાટણ તા.૧
ગુજરાતની પ્રાચિન રાજધાની અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વિશ્વ વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બની છે ત્યારે વર્ષે દહાડે દેશ વિદેશ માંથી હાજરો પ્રવાસીઓ ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણકીવાવ નિહાળવા માટે પાટણ આવી રહ્યા છે જેથી પુરાતત્વ વિભાગ ને કરોડો ની આવક પ્રાપ્ત થઈ રહી છે.

વર્ષ 2022 ની 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધીના સમય દરમિયાન વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ ને કુલ 3.41 લાખ ભારતીયઓ અને 850 થી વધુ વિદેશી પ્રવાસીઓએ નિહાળી હતી.જેના કારણે એક વર્ષમાં પુરાતન વિભાગ ને કુલ આવક 1.41 કરોડ રૂપિયા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઐતિહાસિક નગર પાટણ તેના ભવ્ય ભુતકાળની સાથે સાથે અહીંના દેવડા , પટોળા , કોટ – કિલ્લા , દરવાજાઓ અને વિશ્વની યુનેસ્કોની યાદીમાં સમાવિષ્ટ ભવ્ય અને ઐતિહાસિક વિશ્વ વિરાસત રાણીની વાવ અને સહસ્ત્રલીંગ તળાવથી સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે . ત્યારે આ ભવ્ય સાત માળની વાવમાં માત્ર ભારતના જ નહીં પરંતુ વર્ષો થી પરદેશમાં સાત સમુંદર પાર વસતા પ્રવાસીઓને પણ આકર્ષી રહી છે . દર વર્ષે દેશ અને વિદેશના પ્રવાસીઓ આ રાણીની વાવને નિહાળવા માટે આવે છે અને આ વાવમાં કંડારવામાં આવેલી અદભુત કલાકૃતિઓ વાળી મુર્તિઓને અને વાવની બનાવટને નિહાળી આશ્ચર્યચકિત બની જાય છે.

શહેરમાં આવેલી આ ઐતિહાસિક ધરોહરને નિહાળવા માટે પ્રવાસીઓનો ભારે ઘસારો રહેતો હોવાથી વિશ્વ વિરાસત રાણકીવાવ 2022 ની 1 જાન્યુઆરી થી 31 ડિસેમ્બર સુધી માં 3.40,987 ભારતીયો પ્રવાસીઓ એ રાણકી વાવ ની મુલાકત લીધી છે જેને લઈ પુરાતત્વ વિભાગને રૂ .40 ટીકીટ ના દર મુજબ રૂ.1,36,39,480 ની આવક થઇ હતી . જયારે પ્રત્યેક વિદેશી નાગરીક માટે ટીકીટનો દર રૂા . 600 રાખવામાં આવ્યો છે . ત્યારે વર્ષે 850 વિદેશી પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂા .5.10,000 ની આવક થઇ હતી . આમ છેલ્લા એક વર્ષમાં કુલ 3,41,837 પ્રવાસીઓએ રાણીની વાવની મુલાકાત લેતા કુલ રૂ .1,41,49,480ની આવક પુરાતન વિભાગ ને થઇ છે.

જેમાં ઓક્ટોબર મહિનામાં દિવાળી સમયે 50 હજારથી વધુ ભારતીય અને નવેમ્બર માં 287 વિદેશી પ્રવાસીઓએ વિશ્વ વિરાસત રાણકી વાવ ની મુલાકાત લીધી હતી.એમ રાણીકી વાવના સીનીયર કન્ઝરવેટીવ અધિકારી એસ કે શાહે જણાવ્યુ હતું .

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની પૂર્વ તૈયારીઓને અપાયો આખરી ઓપ…

જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા ધ્વજવંદન સમારોહની તૈયારીઓનું કરાયું...

સાતલપુર ગ્રામ પંચાયત કચેરીના પાછળ બંધ ધરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.3 લાખની માલમતા ઉઠાવી ગયા..

ગ્રામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાઓ ના કૂટેજો સ્પષ્ટ...

પાલિકા દ્વારા ડબ્બે કરાયેલા ઢોરો રાધનપુર પાંજરાપોળ ને સુપ્રત કરાયા..

શહેરના જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવી...

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. ~ #369News