fbpx

પાટણ ના નવા બસ સ્ટેશનની પાછળના ભાગના માગૅ પર પાણી ભરાવાની સમસ્યા એ રહીશોને મુશ્કેલીમાં મૂક્યા..

Date:

પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય જીવજંતુનો ઉપદ્રવ વધત્તા રોગચાળો ફેલાવવાની ભીતી..

પાલિકા તંત્ર દ્વારા પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લવાઈ તેવી માંગ પ્રબળ બની..

પાટણ તા. 24
પાટણ શહેરના નવા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલ સોસાયટીઓના રહીશો અનેક યાતનાઓનો ભોગ બની મુશ્કેલી વેઠી રહ્યા છે.હાલમાં જામેલી કમોસમી વરસાદની સિઝનને કારણે આ સોસાયટી વિસ્તારના માર્ગો પર ભરાતા વરસાદી પાણી ની સાથે સાથે આ વિસ્તારના માર્ગો ઊંચા ઉપાડવામાં આવેલા હોય રહીસોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા મુશ્કેલી સર્જાવા પામી છે.

તો બીજી તરફ નવા બસ સ્ટેશનમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેપાછળના ભાગે કરવામાંઆવેલી પાણી નિકાલની વ્યવસ્થા ના કારણે આ બસ સ્ટેશનનું ભરાયેલું પાણી પણ આ માર્ગો પર વહેતા જીવ જંતુનો ઉપદ્રવ પણ વધવા પામ્યો છે.જેના કારણે વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતી પણ સેવાઈ રહી છે.


ત્યારે પાલિકાના સત્તાધીશો સહિત લાગતા વળગતા તંત્ર દ્વારા આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વિસ્તારમાં રહેતા રહીશો વતી આ વિસ્તારના અને પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સોનાભાઈ પ્રજાપતિએ કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભાવ રાગ અને તાલ નુ ત્રીવેણી સંગમ એટલે ભરતનાટયમ્ :ધારા પરીખ..

પાટણ ખાતે દેવાશી ડાન્સ એકેડેમી દ્રારા એન્યુઅલ ફંકશન યોજાયો… પાટણ...

સિધ્ધપુર અભિનવ હાઈસ્કૂલના મુખપત્ર અભિનવ દર્શન ના ત્રીજા અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. ૨૦વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ...

અયોધ્યા માં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવ ની મીનળપાકૅ સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી.

સોસાયટીના રહીશો દ્વારા પ્રભાતફેરી,યોગ,પ્રાણાયામ,યજ્ઞ,શોભાયાત્રા,મહા આરતી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવાયા… પાટણ...