fbpx

અ.ભા.પત્રકાર સુ.સ.ના પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું પરશુરામ રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું..

Date:

પત્રકાર યશપાલ સ્વામીએ ભગવાન પરશુરામજી ની આરતી નો લાભ લઈ સૌનો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 22
પાટણ બ્રહ્મ સમાજ અને સમસ્ત અઢારે વર્ણના સહયોગથી શનિવારના રોજ આયોજિત ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ મહોત્સવ ની શોભાયાત્રા પૂર્વે રથયાત્રા સમિતિ અને જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા પાટણના પ્રતિષ્ઠિત નગરજનોનું ભગવાન શ્રી પરશુરામજી ની પ્રતિમા અને ફૂલહાર પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાટણ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરાયેલા અને પરશુરામ રથયાત્રા ની મીડિયાની સંપૂર્ણ જવાબદારી નિભાવી પ્રસંગને દીપાવવામાં સહયોગી બનેલા પાટણના પત્રકાર યશપાલ સ્વામીનું પણ પરશુરામ રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ભગવાન શ્રી પરશુરામજી ની ફોટો પ્રતિમા અને પુષ્પ માળા પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતું. પત્રકાર યશપાલ સ્વામીએ આ તબક્કે ભગવાન પરશુરામજી ની આરતી નો લાભ પણ લઈ ધન્યતા સાથે પરશુરામ રથયાત્રા સમિતિ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર સહિત બ્રહ્મ સમાજ અને અઢારે વર્ણના લોકોનો સહ હૃદય આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની વીણા સોનીએ ગુજરાત ઓપન કરાટે ચેમ્પીયન શિપમાં સિલ્વર મેડલ સાથે બીજો નંબર હાંસલ કર્યો..

પાટણ તા. ૬તાજેતરમાં યોજાયેલી રાજયની ઓપન કરાટે ચેમ્પીયનશિપમાં સિલ્વર...

પાટણ મહિલા મંડળની મહિલાઓને આરોગ્યલક્ષી જાણકારી અપાઇ..

પાટણમાં દિવ્યાંગજનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ...

પદ્મનાભ મુક્તિધામ ખાતે દાતા પરિવારના સહયોગથી પક્ષી માટે તૈયાર કરાયેલ ચબૂતરા નું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 7પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના...