fbpx

ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. 24
ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે બુધવારે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તાલુકા કક્ષાના આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ મા 24 જેટલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માં આવતાં અરજદારોમાં સંતોષની લાગણી ફેલાઈ હતી.

સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારના સરકારી વહીવટ ને લગતા લોકોના પ્રશ્નો નું ઝડપી નિરાકરણ થાય તેવા હેતુસર તાલુકા તેમજ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તેમાં જિલ્લા કક્ષા અથવા તો તાલુકા કક્ષાના અધિકારી ઉપસ્થિત રહેતા હોય છે જે અનુસંધા ને ચાણસ્મા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડા તેમજ તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ,ડેપો મેનેજર, વન વિભાગનાઅધિકારીઓ, તેમજ પાલિકા વિભાગ ના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેર બજાર નું ડબ્બા ટ્રેડીંગ કરતા એક ઇસમને પકડી પાડતી પાટણ એલસીબી..

પાટણ તા.19પાટણ જીલ્લામાથી સ્ટોક એકસ્ચેન્જના કોઇપણ સત્તાવાર લાયસન્સ વિના...

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા..

રાધનપુર પંથકમાં માગૅ અકસ્માત માં મૃત્યુ પામેલ 8 લોકો અને ઘાયલ 10 લોકોને સહાયના ચેક અપૅણ કરાયા.. ~ #369News