fbpx

ભક્તિ સભર માહોલમાં બાળાઓ દ્રારા ઝવેરાનું પુજન કરી ગૌરી વ્રતનો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. 29
નાની બાળાઓ દ્રારા ઝવેરાનું પુજન કરી ગૌરી વ્રત નો ગુરૂવારના પવિત્ર દિવસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજથી પાંચ દિવસ સંયમ-નિયમ સાથે ઉપવાસ કરી ગૌરી માતાની પૂજા-અર્ચના કરી બાળાઓ ધન્યતા અનુભવશે.આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત)ના વ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત દરમિયાન પાંચ વર્ષ થી નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસ કરી ગૌરી માતાની પૂજા-અર્ચના કરશે.શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રત(મોળાકત)ની બાળાઓ દ્રારા પૂજા અર્ચના કરાઈ હતી.

આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે ઝુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષની કામનાઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે. હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે ઝુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી. પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ બજારમાં મળે છે.ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહેતા હોય છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો..

પાટણના તળ દરજી સમાજનો શ્રી લોહેશ્વર મહાદેવ પગપાળ યાત્રા સંઘ ભક્તિ સભર મહોલમાં પ્રસ્થાન પામ્યો.. ~ #369News

પાટણ પ્રજાપતિ મહિલા સમિતિ દ્વારા સમાજની બહેનોને આત્મ નિર્ભર બનાવવા નિશુલ્ક બ્યુટી પાર્લર કોર્સનો પ્રારંભ કરાયો…

બ્યુટી પાર્લર કોર્સના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે બહેનોને...

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી..

ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત પૂ. આચાર્ય શ્રી સંજયમુનિજીએ ઓડીસા ખાતે રેલ અકસ્માત વિસ્તારની મુલાકાત લીધી.. ~ #369News