fbpx

પાટણના સંડેર મુકામે શ્રી ખોડલધામના ખાતમુહૂર્ત ને લઈ નિકળેલ શ્રી ખોડલ માતા ના રથ ની બગવાડા ખાતે મહા આરતી કરાઈ..

Date:

પાટણ તા. 25 ઉત્તર ગુજરાતની પાવન ધરતી પર પાટણ તાલુકાના સંડેર મુકામે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ ના પાવન અવસર મા તમામ લોકો સહભાગી બની રહે તેવા શુભ સંકલ્પ સાથે શ્રી ખોડલધામ સમિતિ દ્વારા શ્રી ખોડલ માતાજી ની પ્રતિમા સાથે નિકળેલ રથ પાટણ ખાતે આવી પહોંચતા ઠેર ઠેર માતાજી ના રથ નું સામૈયું અને સન્માન કરવામાં આવ્યું હતું.

આગામી તા.22 ઓકટોબરનાં રોજ સંડેર મુકામે નિમૉણ પામનાર શ્રી ખોડલધામ મંદિર નું ભક્તિ સભર માહોલમાં યોજાનાર ભુમિપૂજન પવૅ મા સૌ કોઈ સહભાગી બને તેવા ભાવ સાથે નિમંત્રણ પાઠવવા નિકળેલા શ્રી ખોડલ માતાના રથ સમક્ષ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સમૂહ મહા આરતી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત સમાજના અબાલ,વૃધ્ધ સૌએ શ્રી ખોડલ માતાજી ની આરતી ઉતારવાનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનો

લોકસભા સામાન્ય ચૂંટણી-2024- અવસર લોકશાહીનોઆદર્શ મતદાન મથક પર ઉભા...