પાંચ દિવસ વિઘ્નહર્તા દેવ ની પૂજા,અર્ચના અને આરાધના સાથે વિશ્વ કલ્યાણની રહિશો દ્રારા કામના વ્યક્ત કરાય…
પાટણ તા. 24 પાટણ શહેરમાં ગણેશ મહોત્સવ નો મહિમા દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે ચાલુ સાલે પાટણ શહેરના છબીલા હનુમાન પાસે નવ નિર્મિત યશ હેરિટેજ ભાગ-1 ના રહીશો દ્વારા સૌપ્રથમ વાર યશ હેરિટેજ કા રાજા ગણેશ ઉત્સવનું ગણેશ ચતુર્થીના પાવન દિવસે વિઘ્નહર્તા દેવની સ્થાપના સાથે પાંચ દિવસ માટે કરવામાં આવ્યું હતું.
યશ હેરિટેજ વિભાગ-1ના રહીશો દ્વારા આયોજિત કરાયેલા આ ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે વિઘ્નહર્તા દેવની નિત્ય પૂજા,આરતી અને આરાધના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવના સમાપન પ્રસંગે યશ હેરિટેજ વિભાગ-1ના તમામ રહીશોએ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ગગન ભેદી નાદ સાથે વિશ્વ કલ્યાણની કામના વચ્ચે શ્રી નું વિસર્જન કરી સર્વે એ સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી