ધારાસભ્ય લવિગજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા..
પાટણ તા. 6 પાટણ ના રણકાઠા ના છેવાડા ના ગામડાઓ માં બાળકો અભ્યાસ માં વધુ રસ લેતા થાય અને શાળા માં સ્થાયિકરણ વધે તે માટે શિક્ષકો દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવતાં હોય છે તો બાળકો પણ શાળા મા અભ્યાસ માટે હોશે હોશે આવે તેવા પ્રયત્નો પણ શાળા ના શિક્ષકો દ્વારા કરાતા હોય છે. આવોજ એક પ્રયત્ન ગોખાતર ગામડી શાળા ના આચાર્ય મદારસિંહ ગોહિલ દ્રારા મૂળ રાધનપુર નિવાસી માતૃ શ્રી સ્વ.પદમાબેન સુર્યકાંતભાઈ સીરિયા હાલ મુંબઈ દ્વારા.શેઠ શ્રી ગુણવંતભાઈ રતિલાલ ભિલોટ વાળાની પ્રેરણા અને માર્ગદર્શન થી સાંતલપુર ની વિવિધ શાળાઓમાં શૈક્ષણિક કીટ,સ્વેટર, ચણીયા ચોલી વગેરે નું દાન આપવામાં આવેલ હતું. જે દાતાનો સન્માન સમારોહ સાંતલપુર તાલુકાના શિક્ષણ પરિવાર વતી ગોખાતર ગામડી પ્રા.શાળા ખાતે ધારાસભ્ય લવિગજી ઠાકોર અને તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમારના અતિથિ વિશેષ પદે તેમજ પ.પુ.મહંત આનંદગિરિ બાપુ પારસ હનુમાન મંદિર આશ્રમ લુનીચાના ની હાજરી માં યોજાયો હતો. આ પ્રસંગે દાતા પરિવાર ના શેઠ ગુણવંતભાઈ. રતિલાલ ભિલોટ નું પાઘડી તેમજ સન્માન પત્ર અને મોમેન્ન્ટો થી મહાનુભાવો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ દાતા તરફથી ગો.ગામડી શાળા ના તમામ બાળકોને સારી અને ઉચ્ચ ગુણવતા વારા ટી શર્ટ અને જિન્સ પેન્ટ ની જોડી ગણવેશ તરીકે આપવામાં આવી હતી. શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ નું વર્ષો નું સપનું સાકાર થતા તમામ મહેમાનો અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી