fbpx

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

Date:

પાટણ તા. ૧૨
પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો દ્વારા રામાપીર ના મંદિરે ભાદરવા સુદ નોમ ના દિવસે નેજા ચઢાવ્યા હતા. નૌમ ના દિવસે સવાર થી જ રામાપીર મંદિર ખાતે ભક્તો દર્શન પૂજન માટે ઉમટ્યા હતા.

પાટણ શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થાપિત બાબા રામદેવપીરના મંદિર પરિસર ખાતે નેજા ચડાવમા આવ્યા હતા.

પાટણ શહેર સહિત જિલ્લાના અનેક ભક્તો પાટણ નજીક અનાવાડા પાસે આવેલ રામાપીર મંદિરે વાજતે ગાજતે નોમ ના નેજા ચઢવ્યા હતા તો પાટણ રેલવે સ્ટેશન નજીક આવેલા રામદેવપીરના મંદિરે પણ નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી.તો શહેર ના ઘેમરિયા વીર મંદિર ખાતે આવેલ રામપીર મંદિરે પણ ભક્તો વાજતે ગાજતે રામપીર ની ધજા સાથે પહોંચ્યા હતા અને મંદિરે નોમ ના નેજા ચડાવ્યા હતા.

પાટણ નજીક ખલીપુર ગામે આવેલ રામપીર મંદિરે દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંઘ અને ધજા પતાકા સાથે પગપાળા યાત્રા સંઘ મારફતે રામપીર ના દર્શન માટે આવ્યા હતા.મંદિર પરિસર માં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તો ઉમટ્યા હતા. આ પવિત્ર પ્રસંગને સફળ બનાવવા મંદિરનાં પુજારી સહિત તેમનાં પરિવાર જનો અને રામદેવપીર ના ભક્તો દ્વારા જહેમત ઉઠાવી પ્રસંગને યાદગાર  બનાવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related