fbpx

પાટણ શહેરના બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન માગૅ પર આડેધડ ઉભા રહેતાં વાહનો અને શાકભાજી ની લારીઓ દુર કરાઈ..

Date:

પાટણ તા.10
પાટણ શહેરની જટીલ બનેલી ટ્રાફિક સમસ્યાને નિવારવા પાટણ નગર પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય બજાર માર્ગો પર આડેધડ ઊભા રહેતા વાહન ચાલકો તેમજ શાકભાજીની લારીઓ વાળાને અવાર નવાર દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન દુર કરી શહેરના માગૅ ખુલ્લા કરવામાં આવતાં હોય છે.છતાં કેટલાક વાહન ચાલકો અને શાકભાજી ની લારીઓ વાળાઓ પુનઃ માગૅ પર આવી ટ્રાફિકની સમસ્યાઓ સર્જતા હોય છે.

મંગળવાર ના રોજ પાટણ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા પોલીસ ને સાથે રાખીને શહેરના બગવાડા દરવાજા થી રેલવે સ્ટેશન માગૅ પર આડેધડ પાકૅ કરેલ વાહનો સહિત માગૅ પરની શાકભાજીની લારીઓ દુર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા. તો રેલવે સ્ટેશન માગૅ પર ઉભા રહેતા શાકભાજીની લારી વાળાઓને પણ ફૂટપાથ ના ત્રીજા સ્ટેપ ઉપર ઊભા રહીને ધંધો રોજગાર કરવા કડક સુચના આપવામાં આવી હતી.

પાટણ નગર પાલિકા અને પોલીસ દ્રારા મંગળવારે હાથ ધરવામાં આવેલ દબાણ હટાવો ની કામગીરી દરમ્યાન પાલિકાના રેલવે વોડૅ ઈન્સપેકટર આકાશ અમીન, એએસઆઈ રાજેશ પરમાર, ધરતી ચૌધરી સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર તાલુકાના સાથલી ગામમાં ઉનાળો શરૂ થતા જ પાણીના પોકારો ઉઠયા..

રાધનપુર તાલુકાના સાથલી ગામમાં ઉનાળો શરૂ થતા જ પાણીના પોકારો ઉઠયા.. ~ #369News

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા..

શંખેશ્વર ના ખારસોલ તળાવમાં દેવીપુજક સમાજના બે બાળકો ડૂબતા મોતને ભેટયા.. ~ #369News

પાટણ જિલ્લા સહકારી સંઘની 26 મી જનરલ સભા યોજાઇ…

સંઘના પાટણ જિલ્લાના અધ્યક્ષ ના વિદેશ ગમનની શુભેચ્છાઓ પાઠવવામાં...