રામ- રાવણ ના યુદ્ધ ને નિહાળવા પાટણ ની ધમૅપ્રેમી જનતા ઉમટી..
પાટણ તા. ૨૧
પાટણ શહેરના ઘીમટામાં આવેલ બહુચર માતાજીના મંદિરે ત્રાગડ સોની સમાજની પરંપરાગત ભવાઈ કારતક સુદ આઠમ અને નોમ ના દિવસે યોજાઈ હતી.
જેમાં આઠમની રાત્રે મંગળ દીવો કરી ભવાઈનો આરંભ કર્યો હતો.જેમાં કાઠડો,ગોરખ,જોગણી અને બીજા દિવસે સરણિયા, રામરાવણ યુધ્ધ જેવા ખેલ યોજાયા હતા.રાવણે માતાજી ના દર્શન કરી રાવણ યુધ્ધ યોજાયું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં સોની સમાજ સહિત આજુ બાજુના વિસ્તાર ના રહીશો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી