મઢુત્રા માગૅ પર પાણીની રેલમછેલ થી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી મા મુકાયાં..
પાટણ તા. ૨૪
પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલો અવાર નવાર ઓવરફ્લો થવાની સાથે સાથે કેનાલો મા ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે રવિવારે પણ તંત્ર ની બેદરકારી ના કારણે સાંતલપુર ના મઢુત્રા ગામને જોડતી નમૅદા ની ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફલો થતા લાખ્ખો લીટર પાણી નિરથૅક વહી જવા પામ્યું હતું તો મઢુત્રા નો માગૅ પણ પાણીથી જળ બંબાકાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પાટણ જિલ્લામાં આવેલ નમૅદા કેનાલોમા અવાર નવાર ગાબડાં પડવાનો તેમજ કેનાલો ઓવરફ્લો થવાની ધટના છતાં નમૅદા વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ નકકર પગલાં ભરવામાં આવતાં ન હોય જેના કારણે લોકો મા તંત્ર સામે રોષની લાગણી ઉદભવવા પામી છે.
અહેવાલ યશપાલ સ્વામી