fbpx

બિપોરજોય વાવાઝોડાથી પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી પાટણ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી..

Date:

બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ વન વિભાગ ની ૧૭ ટીમો સતત કાર્યરત..

અત્યાર સુધીમાં ૨૨ વૃક્ષોને તત્કાળ દૂર કરીને થઈ રહી છે રસ્તો ખુલ્લો કરવાની કામગીરી..

પાટણ તા.16
બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ જિલ્લામાં ગઇકાલ થી વરસાદનું આગમન શરૂ થયું છે સાથે જિલ્લામાં પવનનું પણ જોર છે તેના લીધે જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૨ જેટલા વૃક્ષો પડી ગયા હતા. બિપોરજોય વાવાઝોડાના પગલે લોકોને અવરજવર કરવામાં, માલસમાન હેરફેર, દવાખાના કે અન્ય રીતે તકલીફના પડે તે માટે પાટણ વનવિભાગમી ટીમ એલર્ટ મોડમાં નાયબ વન સરક્ષક બિન્દુબેન પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૨૨ જેટલા વૃક્ષો પડી ગયા હતા.

આ પાટણ – સિધ્ધપુર રોડ, પાટણ – સંખારી રોડ, પાટણ – ચાણસ્મા રોડ, ખલીપુર ચોકડી થી સુજનીપૂર રોડ, ખલીપુર ચોકડી થી સુજનીપુર રોડ, ખલીપુર રોડ થી પાટણ રોડ વગેરે જગ્યાએ બિપોરજોય વાવાઝોડાના લીધે ૨૨ જેટલા વૃક્ષો ધરાશાયી થયા. આ ધરાશાયી થયેલા વૃક્ષોને પાટણ જિલ્લામાં કાર્યરત ૧૭ ટુકડીની મદદ તત્કાળ દૂર કરવામાં આવી ગયા છે અને રસ્તો ખુલ્લો કરવામાં આવી ગયો છે.આમ પાટણ જિલ્લામાં પાટણ વનવિભાગ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને ઉત્કૃષ્ટ કામગીરી બિપોરજોય વાવાઝોડા સમયે કરી રહ્યા છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

અખાત્રીજ ના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત જિલ્લાના ખેડૂતોએ નવા વર્ષની ખેતીના શ્રી ગણેશ કર્યા…

બળદોની સંખ્યા કરતા ખેડૂતોએ ટ્રેક્ટરની તેમજ ધરતી માતાજી પૂજા...

સાગરના ઉપાશ્રય ખાતે શ્રી નેમીનાથ ભગવાન ના જન્મ અને લબ્ધિ ગુરૂદેવ નો ૬૪ મો સ્વગૅવાસ દિવસની ઉજવણી કરાઈ.

પાટણ તા. ૯પાવનકારી નિશ્રા પ્રવર્તક પ્રવર કલાપૂર્ણ વિજયજી મહારાજ...

ઉત્તર ગુજરાતનો ભરતી મેળો સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે યોજાયો…

સિદ્ધપુરમાં આયોજિત ભરતી મેળામાં 2438 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ.. 27...

પાટણ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા દરમિયાન પ્રથમ કોપી કેસ નોંધાયો…

રાધનપુરની અંજુમન સાર્વજનિક વિદ્યાલયમાં બીજા સેશનની પરીક્ષામાં કાપલી દ્વારા...