fbpx

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી મસાણીયા મેલડી માતાજી અને શ્રી મસાણીયા વીર મહારાજ ના મંદિર નું દાતા પરિવાર દ્વારા રિનોવેશન કામનું ખાત મુહુર્ત કરાયું..

Date:

પાટણ તા. ૨૮
શ્રી પદ્મનાભ મુક્તિધામમાં આવેલ મસાણીયા મેલડી અને મસાણીયા વીર મહારાજ ના મંદિરના ઓટલાનું અને મંદિર ઉપરના શેડનું નવીનીકરણ કરવાનું ખાત મુહૂર્ત દાતા પરિવાર સ્વ.શંકરલાલ ઓખાભાઈ પ્રજાપતિ (વાડીઓવાસવાળા) હસ્તે સ્વ. નર્મદાબેન શંકરલાલ પ્રજાપતિ (વાડિયોવાસવાળા) પરિવારના હસ્તે કરવામાં આવ્યું હતું.

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે દાતા પરિવાર દ્વારા ઉપરોક્ત બન્ને મંદિર પરિસરના નવીની કરણ ના કાયૅ ના શુભમૂહૅત પ્રસંગે શ્રી પદ્મનાભ મુક્તિધામ વિકાસ સમિતિ અને શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારનું સન્માન કરવા માં આવ્યું હતું અને દાતા પરિવાર ની ઉદારતાને સરાહનીય લેખાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે આવેલ શ્રી મસાણીયા મેલડી માતાજી અને શ્રી મસાણીયા વીરમહારાજ ના આ શુભ કાર્યો ના શુભારંભ પ્રસંગે દાતા પરિવાર સાથે શ્રી પદ્મનાભ મુક્તિધામ વિકાસ સમિતિના સેવા ભાવી કાર્યકતૉઓ સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ તેમજ શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન નો મહાભિષેક કરાયો..

ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા અભિષેક સહિત ધાર્મિક...

પાટણ ના યામી પેટ્રોલ પંપ નજીક માર્ગ પર હેવી ટ્રક પલટી ખાઈ ગઈ..

પાટણ ના યામી પેટ્રોલ પંપ નજીક માર્ગ પર હેવી ટ્રક પલટી ખાઈ ગઈ.. ~ #369News