કથાના યજમાન પદે નવનિયુક્ત પ્રમુખ અને મંત્રી પરિવાર એ લાભ લીધો…
પાટણ તા. ૩૦
અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી પાટણની સેવાકીય સંસ્થાઓમાં આગવી નામના પ્રાપ્ત કરનાર ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ ના નવીન વર્ષ માટે વરાયેલા પ્રમુખ-મંત્રી સહિત કારોબારી સભ્યો દ્વારા નવા વર્ષના પ્રારંભના પ્રથમ પ્રોજેક્ટ રૂપે ભગવાન શ્રી સત્ય નારાયણની કથાનું આયોજન સિદ્ધહેમ ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા સેવાના પ્રથમ પ્રોજેક્ટના પ્રારંભ પૂર્વે આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગ સમા શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના યજમાન પદે નવ નિયુક્ત પ્રમુખ ભાર્ગવભાઈ ચોકસી અને તેમના ધર્મપત્ની તેમજ મંત્રી નરેન્દ્ર ભાઈ ચૌહાણ અને તેમના ધર્મ પત્ની એ બિરાજમાન બની લહાવો લીધો હતો.
ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પરિવાર દ્વારા આયોજિત ભગવાન શ્રી સત્યનારાયણની કથાના પવિત્ર પ્રસંગે ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના તમામ પરિવારજનોએ ઉપસ્થિત રહી ભગવાન શ્રી સત્ય નારાયણની કથા શ્રવણ સાથે પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી