fbpx

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ પોતા ના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃતિ થકી કરી.

Date:

પાટણ તા. ૨૩
પાટણ શહેર ભાજપ પ્રમુખ અને પાટણના લોકોની લોકસેવા માટે હર હંમેશ તત્પર, સેવાભાવી, ઉત્સાહી એવા કિશોરભાઇ મહેશ્વરીના ગુરૂવારે જન્મ દિવસ નિમિત્તે શહેર ના બગવાડા દરવાજા ખાતે ઠંડી છાસ ની સેવા અને ૧ મહિના માટે પીવાના ઠંડા પાણી ની પરબ ને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સાથે જરૂરિયાત મંદ મજુર,ફેરિયાઓને સાફી, ટોપી, ચંપલ અને પાણી ની બોટલ વિતરણ કરી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કે.સી.પટેલ પુર્વ મહામંત્રી,પ્રદેશ ભાજપ, ડો.દશરથજી ઠાકોર પ્રમુખ
જીલ્લા ભાજપ, ભાવેશ ભાઈ પટેલ મહામંત્રી, જીલ્લા ભાજપ, પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય સહિત પાટણ જીલ્લા, શહેર ભાજપના પદાધિકારીઓ, નગર સેવકો, શકિત કેન્દ્રના સંયોજકો, પ્રભારીઓ અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કિશોરભાઈ મહેશ્વરીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓની સેવા પ્રવૃત્તિ ને સરાહનીય લેખાવી હતી.

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કરાયેલા સેવા પ્રોજેક્ટને સફળ બનાવવા પાટણ શહેર ભાજપ મહામંત્રી ગૌરવ મોદી, ધર્મેન્દ્ર પટેલ, સહિત ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર ના આગેવાનો, કાયૅકરોએ જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વામી ટ્રેડિંગના સહયોગથી કોકાકોલા કંપની દ્વારા તુફાની જલસા થીમ સાથે વિવિધ કોમ્પિટિશન યોજાઈ..

પાટણના પ્રગતિ મેદાન ખાતે સ્વામી ટ્રેડિંગના સહયોગથી કોકાકોલા કંપની દ્વારા તુફાની જલસા થીમ સાથે વિવિધ કોમ્પિટિશન યોજાઈ.. ~ #369News

પાટણમાં ચિતારા પરિવાર ના ઇષ્ટદેવ અને ભારત ભરમાં એકમાત્ર આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર ખાતે શ્રી વિષ્ણુ્યાગ યજ્ઞનું આયોજન કરાયું..

પાટણમાં ચિતારા પરિવાર ના ઇષ્ટદેવ અને ભારત ભરમાં એકમાત્ર આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર ખાતે શ્રી વિષ્ણુ્યાગ યજ્ઞનું આયોજન કરાયું.. ~ #369News