fbpx

સાતલપુર ના પીપરાળા ગામના પ્રભુ ભગત ચારધામની સાયકલ યાત્રા કરી 82 દિવસે પરત આવતા ભવ્ય સામૈયું કરાયું…

Date:

પાટણ તા. ૧૨
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામના પ્રભુ ભગત 82 દિવસની સાયકલ પર ચારધામ તીર્થ યાત્રા કરી પરત આવતા તેઓનું સમસ્ત ગ્રામજનો દ્રારા ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરી પીપરાળા વેણુધામ મંદિર ખાતેથી તેઓની યાત્રા કાઢવામાં આવી હતી.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે રહેતા પ્રભુ ભગત ચારધામની યાત્રા કરવા માટે સાયકલ લઈને નીકળ્યા હતા. ચારધામની સાયકલ યાત્રા 82 દિવસે પૂણૅ કરી તેઓ ગતરોજ પીપરાળા ગામ ખાતે પરત આવતા સમસ્ત ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાથે સાથે ગામની અંદર ભજન અને ભોજન સાથે ગૌ માતાને ઘાસ જેવા અન્ય દાન પુણ્યના કાયૅ પણ કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે આવેલ વેણુધામ ખાતે થી સાયકલ યાત્રા ચારધામ પૂર્ણ કરી 82 દિવસે પરત આવતા ગામની અંદર ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી..

પાટણ માર્ગ મકાન વિભાગ દ્વારા હાઇવે માર્ગો પર ટ્રાફિક ઇન્ફર્મેશન ને લઈ 14 ટીમ કામે લગાડી.. ~ #369News

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો..

પાટણના સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાઈને ઉપસ્થિત...