આવતી કાલે અષાઢીબીજના દિવસે હવન સહિત ના ધામિૅક ઉત્સવ ઉજવાશે..
પાટણ તા. 6
પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજી મંદિર ના 75 માં પાટોત્સવ નિમિતે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ તથા સહસ્ત્ર કલશાત્મક મહા અભિષેક નું અયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હર્ષોઉલ્લાસ સાથે ભવ્ય કળશ યાત્રા મંદિર પરિસર ખાતેથી નીકળી હતી.જેમાં મોટી સંખ્યાઓ પાટીદાર સમાજ ના લોકો જોડાયા હતા.
પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજી મંદિર ના 75 માં પાટોત્સવ નિમિતે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ તથા સહસ્ત્ર કલશાત્મક મહા અભિષેક ના પ્રથમ દિવસે મંદિર પરિસર માંથી ભવ્ય જળયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ભાઈઓ, બહેનો અને વડીલો બાળકો અને યુવાનો જોડાયા હતા જેમાં બાળકીઓએ માથે કળશ ધારણ કરી જળયાત્રા મા જોડાઈ હતી.
આ જળયાત્રા મંદિર પરિસર માંથી નીકળી બળિયાપાડા,રાજકાવાડ, લોટેશ્વરચોક થઈ ઝીણી પોળ, ભૂતનાથ નો અખાડો,મોતીશ દરવાજ5 થઈ નિજ મંદિર પરત ફરી હતી. ત્યાર બાદ યજ્ઞ પ્રારંભ મંડપ પ્રવેશ ,દેવતા પૂજન અને અગ્નિ સ્થાપન વિધિ યજમાન પરિવાર પ્રકાશ ભાઈ હીરાભાઈ પટેલ પરિવાર સહિત યજમાનો ના હસ્તે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કર્યો હતો. આવતી કાલે અષાઢી બીજે માતાજી ના 75 મા વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય યજ્ઞ યોજાશે.
અહેવાલ યશપાલ સ્વામી