fbpx

શ્રી ખીજડીયા વીર દાદા સ્થાનકે પાટણ પ્રજાપતિ ઈંટોવાળા પંચ પરિવારની પરંપરાગત ટોપલા ઉજાણી ઉજવવામાં આવી..

Date:

પાટણ તા. ૯
પાટણ પ્રજાપતિ સમાજના ઈંટોવાળા પંચ પરિવાર દ્વારા પરંપરા અનુસાર શુક્રવાર ના રોજ પાંચમ નિમિત્તે પાટણ સમીપ આવેલા શ્રી ખેજડીયા વીર દાદા ની ટોપલા ઉજાણી ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવી હતી.

પાટણ પ્રજાપતિ ઈંટો વાળા પંચ પરિવાર દ્વારા વર્ષો ની પરંપરા અનુસાર શ્રાવણ સુદ પાંચમ ના પવિત્ર દિવસે પરિવારની કુવાસીઓ દ્વારા શ્રી ખેજડીયા વીર દાદા નો પોત પોતાના ઘરે શ્રધ્ધા ભાવથી જાર માંથી બનાવવામાં આવતા ઢુઢણ, લાપસી, રોટલી, ખીર અને અડદ મગની દાળના વડા નૈવેદ્ય સ્વરૂપે બનાવી પોતાના નિવાસ સ્થાને થીં ટોપલા માં નૈવેધ ગોઠવી ટોપલાને માથા પર ગ્રહણ કરી પગપાળા અનાવાડા સ્થિત શ્રી ખેજડીયા વીર દાદા નાં મંદિર પરિસર ખાતે પહોંચી હતી.

જ્યાં ઈંટોવાળા પંચ પરિવાર ની અંદાજિત 500 કુવાસીઓ દ્વારા પોતાના ધરે તૈયાર કરવામાં આવેલ નૈવેધ ને દરેકનાં ટોપલા માંથી પ્રસાદ સ્વરૂપે લઇને શ્રી ખેજડીયા વીર દાદા ને અપૅણ કરી સમગ્ર પરિવાર સહિત વિશ્વની શુભ કામનાઓ માટે પ્રાથૅના કરી સમૂહમાં પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

વર્ષોની પરંપરા અનુસાર પાટણના ઈંટોવાળા પંચ પરિવાર ની કુવાસીયો દ્વારા આયોજિત શ્રી ખેજડીયા વીર દાદા ની ટોપલા ઉજાણી નાં આ પાવન પર્વ ને યાદગાર બનાવવા મંદિર પરિસર ખાતે ઈંટોવાળા પંચ પરિવાર નાં આગેવાનો, યુવાનો સહિત મંદિરનાં મહંત અને ભક્તો સાથે ટ્રસ્ટી ગણ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ટોપલા ઉજાણી ને લઈને શ્રી ખેજડીયા વીર દાદા નાં મંદિર પરિસર ખાતે મેળા જેવો માહોલ સર્જાયો હોય જેનો નાના મોટા સૌએ આનંદ માણી ટોપલા ઉજાણી ના પવૅ ને યાદગાર  બનાવ્યો  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related