હારીજ થી ભુજ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો..
પાટણ તા. 29
પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડાતા હાઇવે માર્ગો ઉપર અનેકવાર નાની મોટી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી જ એક અકસ્માતની ઘટનાનો બનાવ પાટણ જિલ્લાના હારીજ હાઇવે પર રવિવારે બનવા પામ્યો છે.
આ અકસ્માત ની મળતી વિગતો અનુસાર હારીજ થી સવારે ૭-૦૦ વાગે ભુજ જવા નીકળેલ એસ.ટી. ડેપો ની બસ નં. જીજે-૧૮-ઝેડ-૬૧૩૭ રાધનપુર તરફ પહોંચી હતી ત્યારે હારીજ આઇ.ટી.આઇ. કોલેજ નજીક રાધનપુર તરફથી આવી રહેલ અલ્ટો ગાડી ગાડી નં.જીજે-૦૧-કેસી- ૨૪૦૫ ના ચાલકે રોંગ સાઇડ ફુલ સ્પીડમાં આવતાં બસની ખાલી સાઇડે ધડકાભેર ટકકર મારી હતી. અકસ્માત સર્જાતા ડ્રાયવર સીટ ઉપર બેઠેલ રામચરણદાસ અવધેશદાસ સાધુ (રહે. ઇઢાટા, તા. થરા, જી. બનાસકાંઠા) નું ઘટના સ્થળે મૃત્યુ થવા પામ્યું હતું.
અકસ્માત ની જાણ ૧૦૮ને કરતાંકરતાં ધટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં ડ્રાયવરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે બસના ડ્રાયવર ગૌતમકુમાર રણછોડભાઇ પટેલે હારીજ પોલીસ સ્ટેશને મૃતક કાર ચાલક વિરુધ્ધ અકસ્માત અંગે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.