fbpx

પાટણ ચાણસ્મા હાઇવે પર લીલીવાડી નજીક સંત શ્રી રવિદાસ બાપુની પ્રતિમાના નિમૉણ માટે ખાતમુર્હત કરાયું..

Date:

સમાજના દાતા પરિવારો દ્વારા રૂપિયા 11 લાખના માતબર દાનની જાહેરાત કરાય…

પાટણ તા. 8
રવિધામ ગુજરાત સંસ્થા દ્વારા ચાણસ્મા પાટણ હાઇવે સ્થિત લીલીવાડી વિસ્તારમાં સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવાનું ભૂમિ પૂજન રવિવારે ગદ્દીનશીન પુણે મહારાષ્ટ્ર અખિલ ભારતીય રવિદાસિયા ધર્મ સંગઠન ના અધ્યક્ષ સંત શ્રી સુખદેવજી મહા રાજ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજીક આગેવાન અને રવિધામ ગુજરાતના પ્રમુખ વિનોદ ભાઈ સોલંકીએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું.

ચાણસ્મા પાટણ હાઇવે સ્થિત લીલીવાડી વિસ્તાર માં સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવાની વિનોદભાઈ સોલંકીના વિચારને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો. અને તેમની એક ટહેલ પર ગણતરી ની મિનિટો માં પ્રતિમા માટે અંદાજીત અગિયાર લાખ રૂપિયાનું સમાજના શ્રેષ્ઠીઓએ દાન જાહેર કર્યું હતું.રવિધામ ગુજરાત સંસ્થા દ્વારા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ટુંક જ સમયમાં લીલીવાડી ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુ ની પ્રતિમા મુકવા ની કામગીરી હાથ ધરાશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શેઠ એમ એન હાઈસ્કૂલ, પાટણ ના બે બાળકલાકારો ની કલા ઉત્સવમા ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ..

પાટણ તા. 27સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023...