fbpx

શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ અને ટ્રસ્ટીઓના સહયોગ થી સમાજના બાળકો ને સ્કૂલ કીટ વિતરણ કરવામાં આવી..

Date:

સમાજના 100 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને દાતા પરિવાર દ્વારા સ્કૂલ કીટ એનાયત કરાઈ..

સમાજના સંતો મહંતોએ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓ સહિત સમગ્ર સમાજ ને રૂડા આશીર્વાદ પાઠવ્યા. .

પાટણ તા. 4
શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રવિવારના રોજ શહેરના ભૂતનાથ અખાડા ભદ્ર વિસ્તાર માં સમાજના તેજસ્વી તારલાઓનો અભિવાદન કાર્યક્રમ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્કુલ કીટ વિતરણ નો કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત શ્રી 1008 સ્વામી શ્રી જગદીશપુરીજી ગુરુશ્રી હરિપુરી થળી મઢ જાગીર, મહંત શ્રી રમેશગીરી ગુરુ શ્રીઅભયા નંદગીરી ભુતનાથ અખાડા પાટણ, મહંતશ્રી જગદીશ ગીરી બાબુ ગીરી નીલકંઠેશ્વર મહાદેવ સંખારીના આશીર્વાદ થી આયોજિત કરવામાં આવ્યો હતો.

શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ દ્વારા આયોજિત કરાયેલા સ્કુલ કીટ વિતરણ કાર્યક્રમમાં સમાજના 100 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોને દાતા પરિવાર ગોસાઈ શિવરામ ભારથી પના ભારથી, ગોસાઈ હિતેશગીરી હિંમત ગીરી,ગોસાઈ રાજેન્દ્ર ગીરી જશવંતગીરી,ગોસ્વામી સુનીલ ભારથી નરેન્દ્ર ભારથી, ગોસાઈ રાજેન્દ્રગીરી કાંતિગીરી અને ગોસાઈ રાજેન્દ્રગીરી શંકરગીરી ના સૌજન્યથી સ્કૂલ કીટ એનાયત કરવામાં આવી હતી.

પાટણ શહેરના ભુતનાથના અખાડા ખાતે શ્રી પાટણ દશનામ ગોસાઈ શ્રી પંચ તથા ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કરાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવા નો યુવાનો એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ બાદ સ્વરુચિ ભોજનનું આયોજન સ્વર્ગસ્થ તારાબેન રમેશપુરી ગોસ્વામી ભૂતનાથ ના અખાડા ભદ્ર પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ટ્રસ્ટીઓ રમેશ પુરી રામપુરી, મયુર ભારથી મહેશ ભારથી, ગોસ્વામી ધર્મેન્દ્રગીરી મનહરગીરી, ગોસ્વામી પ્રતિકગીરી મંગલગીરી ગોસ્વામી અને સંતોષગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આગામી વર્ષે સમાજના આ સંપૂર્ણ કાર્યક્રમ ના યજમાન પદે થળી મઢ જાગીરના મહંત શ્રી જગદીશપુરી બાપુએ સ્વિકારી હોવાનું જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ..

પાટણ જાયન્ટ્સના પૂર્વ પ્રમુખે પોતાની સ્વૅગસ્થ પત્ની ના જન્મ દિન પ્રસંગે જરૂરિયાત મંદોને ધાબળા વિતરણ કયૉ.. ~ #369News

પાટણ નગર પાલિકાના કારોબારી ચેરમેન ના અધ્યક્ષ સ્થાને કોર્પોરેટરો ની પ્રિ- મોન્સુન કામગીરી અંતગૅત સમીક્ષા બેઠક યોજાઈ..

રોડ,રસ્તા,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર,વરસાદી પાણી સહિતના પ્રશ્નો નું નિરાકરણ...

પાટણના રવિધામ સર્કલ પર સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ કરાયું..

સમાજના આગેવાનો સહિત સંતો મહંતો એ ઉપસ્થિત રહી પ્રસંગને...