fbpx

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલના નિવાસ સ્થાને તિરંગો લહેરાવાયો.

Date:

પાટણ તા. 9
તા. 15 મી ઓગસ્ટની ઉજવણીના ઉપલક્ષ્યમા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઉપરોક્ત અભિયાન અંતર્ગત શુક્રવારે પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ ના પાટણ સ્થિત તિરૂપતિ ટાઉનશીપ ખાતેના નિવાસ સ્થાને દેશની આન બાન અને શાન સમા દેશ દુલારા તિરંગાને ફરકાવવામાં આવ્યો હતો. કે.સી.પટેલ ના નિવાસ સ્થાને આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં કે.સી.પટેલ સહિત પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો નગરપાલિકાના કોર્પોરેટરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભારત માતા કી જય..વંદે માતરમ્ ના નારા લગાવી હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમને યાદગાર  બનાવ્યો  હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2023-24 પ્રચાર કાર્ય અભિયાન હાથ ધરાયું..

પાટણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓ ના માર્ગદર્શન હેઠળ...