fbpx

પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજી ના મંદિર પરિસર ખાતે માતાજી ની અસવારી નીકળી..

Date:

મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા. 5
જેઠ સુદ પૂનમને રવિવારના પવિત્ર દિવસે પાટણ શહેરના સિદ્ધિ સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે પરંપરા અનુસાર માતાજીની અસવારી નીકળી હતી.શ્રી બાળા બહુચર માતાજીની અસવારીના યજમાન તરીકેનો લાભો સ્વર્ગસ્થ શાંતાબેન વીરચંદદાસ ઘીવાળા પરિવાર ના ગીરીશ કુમાર વીચંદદાસ ઘીવાળા પરિવાર લીધો હતો.

શ્રી બાળા બહુચર માતાજીની અસવારી મંદિર પરિસર ખાતેથી નીકળી મંદિર પ્રાગરણમાં પરિક્રમા કરી નિજ મંદિર પરત ફરી હતી. માતાજીના અસવારીના સમાપન બાદ માતાજી સન્મુખ મહા આરતી ઉતારવા માં આવી હતી.પૂનમના પવિત્ર દિવસે શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગ નો લાભ ભાવિક ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ...

પાટણ સહિત અન્ય જિલ્લા ના 157 જેટલા ખેડૂતો ને એનજીઓ સંસ્થા ના નામે ખેતી ને લગતી સામગ્રી આપવાનું જણાવી લાખો ની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો.. ~ #369News