પાટણ તા. 11
રાષ્ટ્રીય બાલરક્ષક શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને નેશનલ કક્ષાનો સન્માન સમારોહ નાશિકમાં શાસકીય અધ્યાપિકા વિદ્યાલય ખાતે યોજાઈ ગયો.
જેમાં ઉત્તર ગુજરાતમાંથી બે પ્રાથમિક શિક્ષકો ઉમેદભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ ઠક્કરને સમાજ સેવા બદલ તથા બે માધ્યમિક શિક્ષકો ડૉ. રાજગોપાલ મહારાજા અને ડૉ. રૂપેશભાઈ ભાટિયાને શિક્ષણમાં વિશિષ્ટ કાર્ય બદલ પસંદગી થઈ હતી.તેઓ સૌને એવોર્ડ સ્વરુપે શિલ્ડ, સર્ટિફિકેટ અને પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાશિકના જિલ્લા શિક્ષણાધિકારીતથા સમાજ સેવી શ્રીમતિ ફૂલેજી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાલરક્ષક પ્રતિષ્ઠાનના મનોજભાઈ ચિંચોરે તથા નરેશભાઈ વાઘ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી