fbpx

બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ જિલ્લામાં અગમ ચેતી ના પગલારૂપે 2788 લોકોનું સ્થાળાંતર કરાયું..

Date:

પાટણ તા.16
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. કચ્છ અને દ્વારકામાં ભયાનક વાવાઝોડા અને વરસાદ બાદ હવે પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.16 ની સાંજ થી તા.17 દરમિયાન ભયાનક વરસાદની આગાહીને પગલે જિલ્લામાં કુલ 920 જેટલા આશ્રયસ્થાનો ઉભા કરવામાં આવ્યા છે.

જેમાં વિવિધ વિસ્તારના લોકોને આશ્રય આપવામાં આવ્યા છે.બિપરજોય વાવાઝોડા અંતર્ગત હાલમાં જિલ્લામાં કુલ-925 બાળકો, 162 વૃદ્ધો, 13 સર્ગભા મહિલાઓ સહિત કુલ-2788 વ્યક્તિઓનું જિલ્લામાનાં કુલ-95 અલગ અલગ આશ્રય સ્થાનોમાં અગમચેતીના ભાગરૂપે સ્થાળાંતર કરવામાં આવ્યું છે.

તાલુકા નોડલ અધિકારીઓ દ્વારએન.જી.ઓ.સાથે બેઠક કર્યા બાદ આશ્રય સ્થાનો અને અસરગ્રસ્ત વ્યક્તિઓને તેમના દ્વારા ગરમ ભોજન તથા બાળકોને દૂધ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની પરિસ્થિતી સમયે તા.15.ના રોજ જિલ્લાના તમામ આશ્રયસ્થાનો ખાતે સંબંધિત તાલુકાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી સતત મુલાકાતો લઈ, આશ્રયસ્થાનોમાં રહેલ વ્યક્તિઓને ભોજન, આરોગ્ય તથા જરૂરી સુરક્ષા અને સલામતીના પગલે લેવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા મોડી રાત સુધી સતત આશ્રયસ્થાનોની મુલાકાત લઈ, આશ્રયસ્થાનોમાં રહેલ વ્યક્તિઓને પુરી પાડવામાં આવેલ સવલતોનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં જરૂરિયાતમંદ બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો..

શહેરની ગાંધી સુંદર લાલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્વાસ્થ્યની...