fbpx

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી દશા અવતારની પ્રતિમાઓ સ્થાપન કરવા ખાતમુહૂર્ત વિધિ કરાઈ..

Date:

દશા અવતારના દાતા પરિવારો સહિત ટ્રસ્ટીગણ, સમિતિ સભ્યો અને સમાજના ,આગેવાનોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરાવી..

પાટણ તા. 23 પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર પાછળ આવેલા શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિના સભ્યો દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે આ વિકાસ કામોમાં મોરપીંછ સમાન બની રહેનાર દશા અવતાર જેમાં રામ અવતાર, કૃષ્ણ અવતાર,નૃસિંહ અવતાર, મત્સ્ય અવતાર, વામન અવતાર, બુધ્ધ અવતાર, કલ્કી અવતાર, પરશુરામ અવતાર અને વરાહ અવતાર ની પ્રતિમાઓ સ્થાપિત કરવા સમાજના 10 દાતા પરિવારો દ્વારા ઉદાર હાથે સખાવત આપી આ દશા અવતાર ની પ્રતિમાઓને પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.

રવિવારના પવિત્ર દિવસે દશા અવતાર ના 10 દાતા પરિવારોના વરદ હસ્તે અને ભૂદેવો ના શાસ્ત્રોત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ પવિત્ર પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી પદ્મનાભ મુક્તિધામ સમિતિના સભ્યો, સમાજના આગેવાનો , યુવાનો તેમજ દશા અવતારના દસ દાતા પરિવારજનોએ ઉપસ્થિત રહી ખાતમુહૂર્તની ધાર્મિક વિધિમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ..

પાટણ ખાતે રહેતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવાની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં ~ #369News

યુનિવર્સિટી દ્વારા છાત્રોના હિતમાં નવા શૈક્ષણિક વર્ષમાં સ્કીલ ડેવલોપમેન્ટ માટેના નવા સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે…

કુલપતિ ના અધ્યક્ષ સ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કારોબારી...

ચાણસ્મા હાઇવે સર્કલ કોઈ મોટોઅકસ્માત નોતરે તે પહેલાં સકૅલ નાનું કરવા માંગ ઉઠી..

ચાણસ્મા હાઇવે સર્કલ કોઈ મોટોઅકસ્માત નોતરે તે પહેલાં સકૅલ નાનું કરવા માંગ ઉઠી.. ~ #369News