પાટણ તા. 24 પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોશીએ પાટણ લોકસભા સંયોજક નંદાજી ઠાકોર અને સહસંયોજક સ્નેહલભાઈ પટેલ સાથે બેઠક લીધી હતી.જેમાં આગામી સમયમાં પાટણ લોકસભામાં કરવાના વિવિધ કાર્યક્રમો તેમજ લોકસભાના પ્રવાસ અંગે ચર્ચા કરી હતી. સાથે સાથે વિવિધ મોરચા અને મીડિયા ટીમ, સોશિયલ મીડિયા ટીમના હોદ્દેદારોને એક્ટિવ થવા જણાવી આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પાટણ લોકસભા 5 લાખ મતો થી વિજયી બને તે દિશામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા સૂચન કર્યું હતું.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારીએ બેઠક લીધી..
Date: