પાટણ તા. 24 પાટણ સ્થિત પાટણવાડા ઔ.સ.બ્રહ્મ સમાજ ની જનરલ મિટિંગ પાટણ તાલુકાના સંખારી મુકામે યોજાઈ હતી. આ મીટીંગ મા ચાલુ સાલે શ્રાવણ માસ ની પૂનમે રક્ષાબંધન પર્વ ના દિવસે સમૂહ જનોઈ બદલવા ના કાર્યક્રમની ચર્ચા વિચારણા કરવાની સાથે રૂપરેખા ઘડવામા આવી હતી જેમાં સમાજના વ્યવસ્થાપક મંડળ દ્વારા અરવલ્લી જિલ્લાના ભિલોડા થી 5 કી મી દૂર મઉ ગામે મીની સરોવર ના કિનારે આવેલ ભવનાથ મહાદેવ ના મંદિર ખાતે સમૂહ જનોઈ બદલવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ માટે પાટણ ખાતેથી યજ્ઞોપવિત્ બદલવા ત્રણ લક્ઝરીમાં પ્રસ્થાન કરવામાં આવનાર હોવાનું સંસ્થાના પ્રમુખ અમૃતલાલ મહેતાએ જણાવ્યું હતું.
પાટણવાડા ઔ.સ. બ્રહ્મ સમાજની વ્યવસ્થાપક કમિટીની સંખારી મુકામે બેઠક મળી…
Date: