પાટણ તા. 12 પાટણના વતની તથા જાણીતા ઇતિહાસકાર પ્રા.મુકુન્દભાઈ પી બ્રહ્મક્ષત્રિયના સુપુત્ર તથા અમદાવાદની એચ.એ.કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ સાથે ઓલ ઈન્ડીયા કોલેજ પ્રિન્સીપલ્સ એશોશીએશન ના પ્રમુખ પ્રિ.સંજય વકીલનું ધમૅ જાગૃતિ કેન્દ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે.અમદાવાદ માં છેલ્લા ૯૬ વર્ષથી ચાલતી ધર્મ જાગૃતિ કેન્દ્ર તથા અન્ય પાંચ સંસ્થાઓએ સંયુક્ત રીતે પ્રિ.વકીલનું સન્માન કર્યું હતું. છેલ્લા ૯ વર્ષથી પ્રિન્સીપાલ તરીકે રહીને એચ.એ.કોલેજને વિવિધ રાષ્ટ્રીય મેગેઝીન ઈન્ડીયા ટુડે ,ધી વીક ,આઉટલુક તથા ઓપનમાં દેશની શ્રેષ્ઠ કોલેજ તરીકે પસંદગી સાથે સ્થાન પામી છે.
આ અસાધારણ સિધ્ધી પ્રાપ્ત કરવા બદલ પ્રિ.વકીલનું સન્માન થતા પાટણ વાસીઓ પણ ગૌરવ અનુભવી રહ્યા છે. દેશના વિવિધ મેગેઝીનોની પસંદગીની કાર્યવાહીમાં કોલેજનું પરિણામ, સાંસ્કૃતિક તથા સ્પોર્ટ્સની સિધ્ધીઓ,પ્લેસમેન્ટ, સ્કોલરશીપ, લીડરશીપ તથા ઓવરઓલ ડીસીપ્લીન જોવાય છે. આ બધીજ પ્રક્રિયામાંથી પ્રિ.સંજય વકીલના નેતૃત્વમાં સફળતા પૂર્વક પસાર થઇ દેશની શ્રેષ્ઠ કોલેજોમાં એચ.એ.કોલેજની છેલ્લા ૯ વર્ષ થી સતત પસંદગી થવા બદલ પાટણ પણ પ્રાપ્ત. સંજય વકીલ ના આ ગૌરવથી ગૌરવ અનુભવી રહ્યું છે..વેલ ડન પ્રિ. સંજય વકીલ વેલ ડન..
અહેવાલ યશપાલ સ્વામી