fbpx

કલા ઉત્સવ અને સંસ્કૃત સમૂહ ગાન સ્પધૉ મા કે.કી.ગલ્સૅ પાટણ શાળા ની વિધાર્થીનીઓ અવ્વલ રહી…

Date:

શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે વિજેતા વિધાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી..

પાટણ તા. 14 GCERT ગાંધીનગર દ્વારા આયોજિત કલા ઉત્સવમાં સ્પર્ધામાં તેમજ ભારત વિકાસ પરિષદ પાટણની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓએ ઝળહળતી સિધ્ધી હાંસલ કરી શાળા પરિવાર નું ગૌરવ વધારતા શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફ પરિવારે સિધ્ધી મેળવનાર બાળાઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ગતરોજ GCERT ગાંધીનગર દ્વારા આયોજિત G-20 वसुधैव कुटुंबकम् વિષયક થીમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિ તેમજ વિવિધ કૌશલ્યોમાં પ્રેરણા મળી રહે તે માટે હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ – (SVS) કક્ષાના કલા ઉત્સવ -2023 ની ઉજવણી શેઠ શ્રી વી. કે.ભૂલા હાઇસ્કૂલ પાટણ ખાતે આવેલ સભા ખંડમાં ગાયન, વાદન (સંગીત) ચિત્ર (ચિત્રકલા), કવિતા લેખન (સાહિત્ય) એમ વિવિધ કૌશલ્યોની સ્પર્ધા યોજવામાં આવેલ હતી.

ઉપરોક્ત સ્પર્ધામાં શહેર ની કે. કે. ગલ્સૅ શાળાની વિદ્યાર્થિનીઓએ સંગીત વિભાગની ગાયન કલામાં કુ.રિંકુ હરજીવનભાઈ પરમાર (પ્રથમ),અને સાહિત્ય વિભાગની કવિતા લેખનમાં કુ.સ્નેહા જશવંતભાઈજાદવ (પ્રથમ) નંબર યોગ્યતા પ્રાપ્ત કરી શાળાને ગૌરવ આપાવ્યું હતું આ ઉપરાંત રવિવાર ના રોજ ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા આયોજિત (હિન્દી) રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા માં પણ શાળાની ટીમ વિજેતા પામતા સૌ વિદ્યાર્થિનીઓને અને આ સમગ્ર કૃતિ તૈયાર કરાવનાર શાળાના સંગીત શિક્ષક કમલેશ સ્વામીને શાળાના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામા આવ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ગોલાપુર સ્થિત લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલ નું ખાતમૂહુર્ત કરાયું..

પાટણ ના ગોલાપુર સ્થિત લેમોનેટ ફામૅ ખાતે નવ નિમૉણ પામનાર કન્વેન્શન મેરેજ હોલ નું ખાતમૂહુર્ત કરાયું.. ~ #369News

પાટણ સિવિલ હોસ્પિટલમાં મંજુર થયેલ કાયમી તબીબી સ્ટાફ ઉપલબ્ધ બનાવવા લોક માંગ ઉઠી..

સિવિલ હોસ્પિટલમાં ફુલ ટાઈમ જનરલ સજૅન અને ઓર્થોપેડિક ની...

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાટણ ખાતે વક્તા ડો.ગજેન્દ્ર પંડા દ્વારા 21મી સદી નું અભિનવ ભાષ્ય વિષય પર માગૅદશૅન આપશે..

બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાટણ ખાતે વક્તા ડો.ગજેન્દ્ર પંડા દ્વારા 21મી સદી નું અભિનવ ભાષ્ય વિષય પર માગૅદશૅન આપશે.. ~ #369News

બીપરજોય વાવાઝોડાની અસરમાં મૃત પામેલ પાટણ તાલુકાના પાંચ પશુધન ની મૃત સહાય ચુકવવામાં આવી..

પાટણ તાલુકાના ભદ્રાડા, ડેર, નોરતાં વાટા, વડલી અને કમલીવાડામા...