લીલા નેજાધારી બાબારીના મંદિર શિખર પર ભક્તો એ નેજા ચડાવી ધન્યતા અનુભવી.
પાટણ તા. 17 ભાદરવા સુદ બીજને રવિવારના પવિત્ર દિવસે નકળંગ નેજાધારી બાબા રામદેવપીર ના પાટણ શહેર સમગ્ર જિલ્લામાં આવેલા મંદિર પરિસરોમાં રામદેવ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવાર થી જ બાબારીના દર્શન માટે ભાવિક ભક્તોએ મંદિર પરિસરમાં લીલા નેજાધારી ના નેજાઓ હાથમાં ગ્રહણ કરી બાબારી ના જય ઘોષ વચ્ચે મંદિર શિખર પર નેજા ચડાવવામાં આવ્યા હતા.
પાટણ સમીપ આવેલા અનાવાડા ના શ્રી રામદેવપીર બાબાના મંદિર પરિસર ખાતે બીજ નિમિત્તે બાબારી સન્મુખ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો.જેના દર્શન પ્રસાદ માટે રામદેવપીર ના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી