100 વર્ષ જુના હનુમાન મંદિરના રિનોવેશન કામ દરમ્યાન શનિદેવ ની પણ સ્થાપના કરાશે.
રિનોવેશન કામમાં તમામ વેપારીઓ સહિત હનુમાન ભક્તોને સહયોગી બનવા અપીલ..
પાટણ તા. 21 ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી-દેવતાઓના મંદિરો ભક્તજનોની આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે.ત્યારે પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં આવેલા 100 વર્ષથી પણ જુના ઐતિહાસિક શ્રી જુનાગંજ હનુમાન દાદા મંદિર કે જેને પાટણના નગરજનો વેપારી સહાય હનુમાન મંદિર તરીકે ઓળખે છે જે મંદિર મા દર શનિવારે તેમજ હનુમાન જયંતિ સહિત ના ધાર્મિક ઉત્સવોની શ્રી જુનાગંજ બજારના વેપારી પરિવાર દ્વારા ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે. તો દર નવરાત્રી એ હવન યજ્ઞ સહિત લોકડાયરા નું પણ આયોજન કરાઈ છે. શ્રી જૂનાગંજ હનુમાન દાદા મંદિર પરિસર સમય કાળે જર્જરીત બનતા શ્રી જુનાગંજ બજાર ના તમામ વેપારીઓના સહકારથી હાલમાં મંદિર નું રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે.
પાટણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલા શ્રી હનુમાનજી દાદાના સાનિધ્યમાં પાટણના અનેક કલાકારોએ ભજન ભક્તિ કરી આજે દેશ-વિદેશની ધરતી પર પોતાના કલા ના કામણ પાથર્યા છે ત્યારે હાલમાં આ મંદિર પરિસરના ચાલી રહેલા રિનોવેશન કામને લઈ જૂનાગંજ ના વેપારી મિત્રો સહિત હનુમાન ભક્તોને તન મન અને ધન થી સહયોગી બનવા જૂના ગંજ બજાર ના અગ્રણી વેપારી હેમંતભાઈ તન્ના, મહાસુખભાઈ મોદી, કેશવ લાલ ઠક્કર, હસમુખભાઈ પટેલ સહિતના તમામ વેપારીઓએ અપીલ કરી છે. આ મંદિર નિર્માણના રીનોવેશન કામ દરમ્યાન મંદિર પરિસર ખાતે શ્રી શનિદેવ ની પણ સ્થાપના કરનાર હોવાનું પાટણના જાણીતા સ્થપથી અને રિનોવેશન ની કામગીરી કરી રહેલા સોમપુરા પરિવારના ભાર્ગવભાઈ એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી