fbpx

વડાપ્રધાન ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ : મુખ્યમંત્રી..

Date:

જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાનો “યુવા સંવાદ” યોજાયો……..

પાટણ તા. 29 અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પોરબંદર,ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ મહાનગર નો “યુવા સંવાદ” કાર્યક્રમ અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા ની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની આશીર્વદીક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જુનાગઢ ખાતે યોજાયેલી અનુસુચિત જાતિ મોરચાની ત્રીજા તબકકાની ની બેઠકમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, પ્રદેશ સહ પ્રવકતા પ્રેરકભાઈ શાહ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા સહિત ના આગેવાનો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને ચરિતાર્થ કરવા તેમજ મોરચાના યુવાનો ને વધુ મા વધુ સંગઠીત કરી સરકાર ની ગરીબ લક્ષી વિવિધ યોજનાઓ ને જન જન સુધી પહોચાડવાની સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પુનઃ પ્રસ્થાપિત કરવા આહવાન કર્યું હતું.

આ બેઠકમા જૂનાગઢ મહાનગરના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, પ્રદેશ મંત્રી અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, જુનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, જૂનાગઢ મહાનગર ના પ્રભારી શ્રીમતી નિમૂબેન બામભણીયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં યુવા કાયૅકતૉ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં વર્ષમાં એક જ વાર દશૅન આપતાં કાર્તિકેય ભગવાનના મુખના દર્શન કરવા ભક્તો ઉમટ્યા…

કાર્તિકેય પૂર્ણિમાના દિવસે ભગવાન કાર્તિકેયના સાનિધ્યમાં હવન યજ્ઞ સહિત...

પાટણના અનાવાડા સ્થિત અનાવાડીયા પરિવારદ્વારા શ્રી અંબાજી માતાજી ના મંદિરનો નવીન જિર્ણોદ્ધાર પ્રસંગ નો પ્રારંભ..

પાટણના અનાવાડા સ્થિત અનાવાડીયા પરિવારદ્વારા શ્રી અંબાજી માતાજી ના મંદિરનો નવીન જિર્ણોદ્ધાર પ્રસંગ નો પ્રારંભ.. ~ #369News