fbpx

કુંવારા ગામે છેલ્લા ૪૫ વષૅ થી જય શ્રી કૃષ્ણ મંડળ દ્વારા આયોજિત કરાતાં સાંસ્કૃતિક ગરબા મહોત્સવ..

Date:

પાટણ તા.૨૫ કુંવારા ગામનાં જય શ્રી કૃષ્ણ મંડળ દ્વારા છેલ્લા ૪૫ વષૅથી નવરાત્રી પવૅ નિમિત્તે સાસ્કૃતિક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે છે આયોજન ચાલુ વર્ષે પણ ભક્તિ સભર માહોલમાં કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જય શ્રી કૃષ્ણ મંડળ ના સેવાભાવી આગેવાનો,કાર્યકરો સહિત સમસ્ત કુંવારના ગ્રામજનો સાથે મળીને આયોજન બદ્ધ રીતે માતાજીના ગબ્બરથી લઇ દરેક કાર્ય નું આયોજન સર્વે સાથે મળીને જાતેજ કરવામાં આવ્યું હતું. છેલ્લા ૪૫ વર્ષથી સતત ભારતીય સંસ્કૃતીને શોભાવતા શ્રી કૃષ્ણ મંડળ કુંવારા દ્રારા આયોજિત કરવામાં આવતા સાસ્કૃતિક ગરબાના આયોજનની નોધ લઈ વિશ્વ ગુજરાતી સમાજની ટીમ દ્વારા ગરબા સ્થળ ઉપર જઈને આયોજક મિત્રોને પુરસ્કાર આપવા માં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ કન્વીનર કિરણ દેસાઈ દિગડી, પાટણ જિલ્લા વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ કો-કન્વીનર રાજેશભાઈ ચૌધરી,પાટણ જિલ્લા વિશ્વ ગુજરાતી સમાજ કો-ઓર્ડીનેટર પારસભાઈ ઠક્કર, પાટણ જિલ્લા વિશ્વ ગુજરાતી સમાજ એડવાઈઝર કમિટી મેમ્બર જયેશભાઇ દરજી, પાટણ વિભાગ વિશ્વ ગુજરાતી સમાજ સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જ દેવ દરજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર ખાતે અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત તેમજ ૧૫ નવીન બસોનું લોકાર્પણ કરાશે..

અંદાજીત રૂ.૨.૫૭ કરોડના ખર્ચે નિર્માણાધીન બસ સ્ટેશનનું આવતી કાલે...

બહેરા મૂંગા શાળા પાટણ ના બધિર વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ રોજગાર તાલીમા ર્થીઓએ સૌરાષ્ટ્રનો પ્રવાસ માણ્યો..

બહેરા મૂંગા શાળા પાટણ ના બધિર વિદ્યાર્થીઓ તથા દિવ્યાંગ રોજગાર તાલીમા ર્થીઓએ સૌરાષ્ટ્રનો પ્રવાસ માણ્યો.. ~ #369News