પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત પાટણ ના ધર્મપ્રેમી નગરજનોને અન્ન કૂટ ના દર્શન માટે પધારવા આયોજકો નું આમંત્રણ…
પાટણ તા. ૧૪
પાટણ પ્રજાપતિ સમાજ પાટણ અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્રારા આગામી તા.16 ડીસેમ્બર ને શનિવારના પવિત્ર દિવસે સાંજે 4-00 કલાકે શ્રી પદ્મનાભ મંદિર પરિસર ખાતે શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ શ્રી પદ્મનાભ ભગવાન ના ભવ્ય અન્નકૂટ મહોત્સવ નું ભક્તિ સભર માહોલ મા આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી પદ્મનાભ ભગવાન મંદિર પરિસર ખાતે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવ ના દર્શન નો લાભ લેવા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત પાટણ ના તમામ ભાવિક ભક્તો પધારવા અન્નકૂટ મહોત્સવ ના આયોજકો દ્રારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી