fbpx

પૂવૅ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયી ના જન્મ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન સમપિર્ત કરાયા..

Date:

પાટણ તા. ૨૫
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સોમવારે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

પૂવૅ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી જી ના જન્મ દિવસ નિમિત્તે પાટણ તાલુકા ભાજપ દ્વારા ધારપુર હોસ્પિટલ સામે ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીની ફોટો પ્રતિમાને સૌ આગેવાનો,કાયૅકરો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કરી અટલજી અમર રહોના નારા લગાવ્યા હતા.

આ શ્રધ્ધા સુમન કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર હરિભાઈ પટેલ,તાલુકા ઉપપ્રમુખ ભોમાજી ઠાકોર, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ વાણીયા,અનુસૂચિત જાતિ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ સહિત ના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત મીડિયા ક્લબની પત્રકારોના વેલ્ફેર ફંડ માટે રૂ.1 કરોડની જાહેરાત કરાઈ..

પાટણ, ૨૫ગુજરાતના પત્રકારોનું હિત ધરાવતી સંસ્થા ગુજરાત મીડિયા ક્લબએ...

પાટણ જિલ્લામાં ચૂંટણી લક્ષી તૈયારીઓને અપાયો આખરી ઓપ…

2073 મતદાન મથકો પર 20,19,916 મતદારો કરશે તા. 7...