ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ અને આપણે પ્રકૃતિથી વિમુખ થયા એટલે પ્રાકૃતિક આપદાઓ ઉભી થઈ છે : અમિત ઠાકર..
પાટણ તા. ૩૦
તાજેતરમાં જ આર્યાવ્રત નિર્માણ દ્વારા ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન નોરતા ના પ્રથમ સોપાન શ્રીરામ વન નો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં શુભારંભ થયો હતો.શ્રી રામ વનની મંગળવારે વેજલપુર ધારાસભ્ય અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ઠાકરે મુલાકાત લઈ 14 વૃક્ષો વાવી પ્રભુ શ્રીરામને અર્પણ કરવામાં આવ્યા હતા.
અમિતભાઈ ઠાકર દ્વારા દાતાઓ અને લોકભાગીદારીથી નિર્માણ થઇ રહેલ આ પીપળ વન ની તાર ફેન્સીંગ,ટપક પદ્ધતિ વગેરે આયોજનની સરાહના કરતા જણાવ્યું હતું કે ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ,અને પ્રકૃતિથી આપણે વિમુખ થયા એટલે પ્રાકૃતિક આપદાઓ ઉભી થઈ રહી છે .અહી શ્રીરામ વનમાં જૈવવિવિધતાનો ખ્યાલ રાખી 52 પ્રકારના દેશીકુળના વૃક્ષો વવાયા છે અને યુવાનો પ્રકૃતિ તરફ વળ્યા છે એ ખૂબ આવકારદાયક છે .
આ પ્રસંગે અમિતભાઈ ઠાકરનું નોરતા ગામના અગ્રણી કેશાજી ઠાકોર , વિષ્ણુ પટેલ ,ખોડાજી ઠાકોર , ખાનપુર કોડીના સરપંચ , માંડોત્રીના કનુ પટેલ અને આર્યાવ્રતના નિલેશ રાજગોર દ્વારા પીપળો , પુસ્તક , શાલ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર , લોક સભા સહ સંયોજક ભારતસિંહ ભટેસરિયા ,મહામંત્રી ભાવેશ પટેલ,જિલ્લા ભાજપના અગ્રણી સંજય પટેલ, નિકુંજ ઠાકર , મહેશ વ્યાસ વગેરેનું પણ આ તબકકે સન્માન કરી સૌના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી