પંથકના જરૂરિયાત મંદ લોકોને શિયાળાની ઠંડીમાં ધાબળાઓનું વિતરણ તેમજ રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું..
પાટણ તા. ૬
પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે સેવા સમર્પણ ની ભાવના સાથે કાર્યરત શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ ના સંચાલિકા જીજ્ઞાબેન શેઠ સહિત તેઓની સમગ્ર ટીમ દ્વારા પંથકના જરૂરિયાત મંદ લોકોને અનેક રીતે મદદરૂપ બનવાની સેવાકીય પ્રવૃત્તિ પંથકના લોકો મા સરાહનીય બની છે.
તાજેતર માંજ શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા પંથકના અગરિયા પરિવારોને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મળી રહે તે માટે 500 ઉપરાંત ગરમ ધાબળાઓ નું વિતરણ કરી સરાહનીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
શ્રી જન મંગલ સેવા ટ્રસ્ટ દ્વારા ગતરોજ પંથકના 100 થી વધુ જરૂરિયાત મંદ પરિવારોને રાત્રીની કકડતી ઠંડી મા ઘરે ઘરે જઈને રાશન કીટ અપૅણ કરી જરૂરિયાત મંદ પરિવારના વડીલો ના આશિર્વાદ મેળવી શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટ ના સ્થાપક જીજ્ઞાબેન શેઠ સહિત સમગ્ર ટીમે ધન્યતા અનુભવી હતી.
શંખેશ્વરમાં કાર્યરત શ્રી જનમંગલ સેવા ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓમાં જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ બનવું, પંથક ના જરૂરિયાતમંદ પરિવારના બાળકોને કોમ્પ્યુટર સહિતનું શિક્ષણ જ્ઞાન પુરૂ પાડવું,પંથક ની જરૂરિયાત મંદ મહિલાઓને સીવણ ક્લાસ,મહેંદી ક્લાસ, બ્યુટી પાર્લર કોર્સ કરાવી તેઓને આત્મ નિર્ભર બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હોવાનું જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી