fbpx

માતૃશ્રી રમાબાઈ આંબેડકરજીના જન્મદિન પ્રસંગે મહિલાઓ માટેના નિદાન અને સારવાર કેમ્પ નો બે હજાર ઉપરાંત મહિલાઓએ લાભ લીધો..

Date:

પાટણ તા. ૭
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મહામંત્રી રત્નાકરજી ના માર્ગ દર્શન હેઠળ તા.7 ફેબ્રુઆરીને બુધવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈ આંબેડકરના જન્મ જયંતી પર્વ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લાઅને 8 મહાનગરપાલિકા ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલના સંયુક્ત ઉપક્રમે દલિત સમાજ ની મહિલાઓ સહિત અન્ય મહિલાઓ માટે નિશુલ્ક નિદાન સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ રેડ ક્રોસ ભવન ખાતે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા પણ મહિલાઓના ફ્રી નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.રેડ ક્રોસ ભવન ખાતે આયોજિત કરાયેલા મહિલાઓના ફ્રી નિદાન અને સારવાર કેમ્પના શુભારંભ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વશરામભાઈ સોલંકી, ડોક્ટર સેલ પ્રમુખ ડો.અંબાલાલ પટેલ સહિત અનુસૂચિત જાતિ મોરચો તેમજ ડોક્ટર સેલના આગેવાનો કાર્યકર્તાઓ સહિત પાટણના તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ દ્વારા આયોજિત આ કેમ્પનો દલિત સમાજની મહિલાઓ સહિત અન્ય સમાજની 2000 ઉપરાંત મહિલાઓએ પોતાના વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કરાવી હતી.

આ નિદાન અને સારવાર કેમ્પમાં લાભ લેનાર તમામ મહિલા દર્દીઓને પાટણ શહેરના જાણીતા ગાયનેક તબીબ ડો.વ્યોમેશ શાહ દ્વારા પોતાની અવની હોસ્પિટલમાં નોમૅલ ડિલિવરી અને સિઝેરિયન નિશુલ્ક કરી આપવાની જાહેરાત કરતાં પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અને ડોક્ટર સેલ સહિત ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મહિલાઓએ સરાહનીય લેખાવી ડો. વ્યોમેશ શાહની મહિલાઓ માટે ની સેવા ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.

પાટણ રેડ ક્રોસ ભવન ખાતે આયોજિત કરાયેલા મહિલાઓના નિદાન અને સારવાર કેમ્પના કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સેલના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત અનુસુચિત જાતિ મોરચા પાટણ જિલ્લા પ્રમુખ વશરામભાઈ સોલંકી, અનુસુચિત જાતિ મોરચા પ્રદેશ મંત્રી ગંગારામ ભાઈ સોલંકી, જિલ્લા સંગઠન મંત્રી મધુબેન સેનમા, મોરચાના મહામંત્રી વિનોદ ભાઈ કરલીયા, કલ્પેશભાઈ ડોડીયા, કાર્યક્રમના કન્વિનર પરેશાબેન વાઘેલા, સહ કન્વિનર સાધનાબેન પરમાર, ગીતાબેન સોલંકી, સંયોજક કશ્યપ શ્રીમાળી, વિરાભાઈ, મનસુખ ભાઈ, મહેશ ભાઈ જાદવ, ચતુરભાઈ સહિત આગેવાનો,કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જ્ઞાનમંદિર સ્કૂલ માં અભ્યાસ કરતી વિધાર્થીની ઓને ગભૉશય ના કેન્સર વિષે માહિતગાર કરાઈ..

ડો.નૈસર્ગિ પટેલે વિધાર્થીની ઓને આ કેન્સર અવરનેશ માટે માગૅદશૅન...

પાટણના વડીલની ઈચ્છા અનુસાર તેઓના મૃત્યબાદ પરિવારજનો દ્વારા દેહદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો..

પાટણના વડીલની ઈચ્છા અનુસાર તેઓના મૃત્યબાદ પરિવારજનો દ્વારા દેહદાનનો સંકલ્પ પરિપૂર્ણ કરાયો.. ~ #369News

પાટણના રાધનપુર એસટી ડેપોમાં ભચાઉ ખાતે ફરજ બજાવતા એસઆરપી જવાનનું ગરમીનાં કારણે મોત નિપજ્યું..

રાધનપુર પોલીસે લાશનું રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશને...

યાત્રાધામ સિદ્ધપુર ખાતે શિવરાત્રી ના પવિત્ર દિવસે સ્વયંભૂ પાંચ મહાદેવની પાલખી યાત્રા નગરચયૉએ નીકળી…

કેબિનેટ મંત્રી સહિતના રાજકીય,સામાજિક આગેવાનો એ પાંચ મહાદેવની પાલખીયાત્રાના...