fbpx

હારીજ ખાતે સ્વ.રસિકલાલ ઠાકરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા. ૨૫
હારીજ ગામ દરવાજા ઠાકર શેરી ખાતે સ્વ.ઠાકર રસિકભાઈ નાથાલાલ ની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે તેઓના પરિવારજનો દ્વારા અમદાવાદના સંતવાણી ભજનીક કલાકાર જીતુભાઇ રાવલ અને તેમની ટીમ દ્વારા ભવ્ય સંતવાણી ભજન કીર્તન તેમજ હારીજ ની ઉભરતી બાળ ભજનીક કલાકાર કશીશ વિમલભાઈ રાવલ, તબલચી બાબુપુરી ગોસ્વામી વિગેરે કલાકારો એ સંતવાણી ભજન કીર્તન ની રમઝટ મચાવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થીત શ્રોતાગણે ભક્તિરસ ભજનોનો લાભ લઈ મંત્રમુગ્ધ બન્યા હતા પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમ માં વાઘેલ અંતરિયા હનુમાનજી મહંત શિવા નંદ ગીરી મહારાજ, રવદ હનુમાનજી મઢી મહંત સાથે વઢિયાર પંથકના પીઢ અને સેવાભાવી પત્રકાર જીતુ ભાઈ સાધુ સહિત સંત પ્રેમી અમદાવાદ ચાંદલોડિયા થી લાલભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.

પધારેલ સાધુ સંતો મહંતો અને મહેમાનો સહિતના મહાનુભાવો નુ ફૂલ પુષ્પ શાલ ઓઢાડી ઠાકર પરિવાર વતી ધવલ રસિક લાલ ઠાકર, જિગર રસિક લાલ ઠાકર વિગેરેએ ભાવ ભર્યું સ્વાગત સન્માન સાથે દાન દક્ષિણા અપૅણ કરી સ્વ. રસિકલાલ નાથાલાલ ની પ્રથમ વાર્ષીકપુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધા સુમન સમપિર્ત  કયૉ હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એમ. એન. હાઇ. ની વિધાર્થીની રંગોળી સ્પર્ધામા વિજેતા બનતા જિલ્લા શિક્ષણાધિકારીએ સન્માન કર્યું…

પાટણ તા. ૨૯લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભારતના ચૂંટણી પંચની...

રાજ્યમાં લો કોલેજમાં એડમિશન ની પ્રક્રિયા મામલે પાટણ માં વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો..

વિરોધ પ્રદર્શિત કરી રહેલા વિદ્યાર્થી સંગઠનના 15 કાર્યકર્તાઓની પોલીસે...