ગોપાલસિંહ ગંગાસિંહ રાજપુત પરિવારના યજમાન પદે યોજાયેલા યજ્ઞના દશૅન-પ્રસાદ નો લાભ લઈ ભકતોએ ધન્યતા અનુભવી..
પાટણ તા. ૧૬
પવિત્ર ચૈત્ર માસમાં ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ચૈત્ર સુદ આઠમના પવિત્ર દિવસે શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસરોમાં ભાવિક ભક્તજનો દ્વારા ધાર્મિક વિધિ વિધાન સાથે હવન યજ્ઞના ઉત્સવો ઉજવવામાં આવ્યા હતા. પાટણ શહેરના ભૈરવ રોડ પર આવેલા શ્રી ખોડીયાર માતાજીના મંદિર પરિસર ખાતે ગોપાલસિંહ ગંગાસિંહ રાજપૂત પરિવારના યજમાન પદે શ્રી ખોડીયાર માતાનો એક કુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.
યજ્ઞની શાસ્ત્રોક વિધિ ડોક્ટર અમિતભાઈ ઓઝા સહિતના ભૂદેવો દ્વારા કરાઈ હતી. ખોડીયાર માતાના મંદિર પરિસર ખાતે આયોજિત આ ધાર્મિક પ્રસંગમાં શ્રદ્ધાળુ ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ યશપાલ શ્યામી