પાટણ તા. ૧૬
ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિ નિમિત્તે સમસ્ત ગુજરાત તુરી બારોટ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકો ગ્રીન કમાન્ડો ના સંકલ્પ લઈ કટિબદ્ધ બન્યા હતા અને 75000 જેટલા રજીસ્ટર સભ્યોએ પર્યાવરણ જાળવણી માટે 1 રૂપિયો આપી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ માં ગ્રીન કમાન્ડો બનશે તેવી સમાજના પ્રમુખ અને સૌ આયોજકોએ ખાતરી આપી હતી.
ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડો.જીતુભાઈ પટેલ તિરૂપતિ દ્વારા આ પ્રસંગે પયૉવરણ ને અનુરૂપ ખુબ જ પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યું હતું જેને સૌ કોઈ એ અનુકરણીય માટે સંકલ્પ બધ્ધ બન્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી