fbpx

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મા રામ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 17
શ્રી રામનવમીના પવિત્ર દિવસે પાટણ સમીપે આવેલ નોરતા ધામના શ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે પ. પુ.સંત શ્રી દોલતરામ બાપુ અને પ.પુ.સંત શ્રી વિશ્વભારતીજી મહારાજ ના સાનિધ્યમાં 49 મા શ્રી રામ જન્મોત્સવ પવૅ ની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરવામાં આવી હતી.

પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે ઉજવાયેલા 49 મા શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભકતોને આશીર્વાદ પાઠવતાં પ. પુ. દોલતરામ બાપુ અને પ. પુ. વિશ્વભારતીજી મહારાજે વ્યસન મુક્ત બની કુરિવાજોને ઝાકારો આપી સમરસતાની ભાવનાને ઉજાગર કરવા જણાવ્યું હતું.

ભગવાન શ્રી રામચંદ્રજી ના 49 મા જન્મોત્સવ પ્રસંગે વિવિધ ધામિર્ક ઉત્સવો સાથે સમૂહ પ્રસાદ અને ભજન નો કાર્યક્રમ પણ યોજાયો હતો. શ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે આયોજિત શ્રી રામનવમીના આ ધાર્મિક ઉત્સવો પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ ભાવિક ભકતો એ પ. પુ. દોલતરામ બાપુ અને પ. પુ. વિશ્વ ભારત જી મહારાજના રૂડા આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.તો પ્રસંગને સફળ બનાવવા શ્રી રવિરામ મહારાજ અને પ.પૂ.સીતા માતાજી સહિત ના સેવક પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી .

Share post:

Subscribe

Popular

More like this
Related

ઉનાળાની શરૂઆત થતાં પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો..

ઉનાળાની શરૂઆત થતાં પાટણ રમત ગમત સંકુલ ખાતે નો સ્વિમિંગ પુલ ખુલ્લો મુકાયો.. ~ #369News

પાટણ નગરપાલિકા દ્વારા વોડૅ નં.૮ ના નિલમ સિનેમા વિસ્તારના માગૅ નું પેચવર્ક કરવાની માગ ઉઠી..

ઉબડ-ખાબડ બનેલ માગૅ પર અગાઉ અકસ્માતમાં મુસ્લિમ અગ્રણીએ જીવ...

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭ મો સ્વાતંત્ર પવૅની ઉજવણી કરવામાં આવી.

પાટણ તા. 16 સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ૭૭...