fbpx

પાટણના પદ્મનાભ ચાર રસ્તા નજીક શિવ આર્કેડ માં શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ ક્લિનિક નો રવિવારે શુભારંભ..

Date:

પાટણ તા. ૨૭
સમગ્ર ઉતર ગુજરાત માં મેડિકલ હબ તરીકે નામના પ્રાપ્ત પાટણ શહેરમાં અનેક પ્રકારની તબીબી સુવિધા ઓ ઉપલબ્ધ બની છે.જેના કારણે ઉતર- ગુજરાત સહિત રાજસ્થાન માથી પણ અનેક દર્દીઓ સારવાર અર્થે પાટણ શહેરમાં આવતા હોય છે. ત્યારે પાટણ શહેરના જાણીતા આંખ ના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નિખીલ ખમાર અને તેમના ડેન્ટિસ્ટ ધમૅપત્ની ડોકટર નિયતિ ખમાર ના સંયુક્ત સાહસરૂપ શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ કલીનીક નો રવિવારના શુભદિને શહેરના પદ્મનાભ ચાર રસ્તા સમિપ આવેલ શિવ આર્કેડ ખાતે પ.પૂ.ગુરૂવયૅ શ્રી ગોપાલભાઈ પાઠકના શુભ આશીર્વાદ સાથે ગુજરાત મેડિકલ એજ્યુ કેશન એન્ડ રિસર્ચ સોસાયટી, ગાંધીનગરના સીઈઓ ડો. યોગેશાનંદ ગોસ્વામી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવનાર છે.

ડો. નિખિલ ખમાર અને તેમના ધમૅપત્ની ડો. નિયતિ ખમાર ના સંયુક્ત સાહસરૂપ નિમૉણ પામેલ હોસ્પિટલ માં ઉપલબ્ધ સુવિધા બાબતે માહિતી આપતા ડો. નિખિલ ખમારે જણાવ્યું હતું કે અમારી આ અધતન સુવિધા સભર હોસ્પિટલમાં આંખનો વિભાગ માં મોતિયાનું અદ્યતન ઓપરેશન તથા પ્રિમિયમ ફોલ્ડેબલ નેત્રમણિ, કીકીના રોગો, નાસુર, વેલની તપાસ અને સારવાર, ઝામરના દબાણની તપાસ અને સારવાર, પડદાના રોગોની તપાસ અને સારવાર,બાળકોના ચશ્માના નંબરના નિયંત્રણ માટે તપાસ અને યોગ્ય માર્ગદર્શન સાથે મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

તો દાંતનો વિભાગની સુવિધા ઓ મા દાંતના કવર/બ્રીજ તથા ચોકઠાની સુવિધા,દાંતની સફાઈ (Scaling), દાંતના મૂળિયાની સારવાર (RCT),Digital X-Ray, વાંકાચૂકા દાંત માટે તપાસ અને માર્ગદર્શન, નાના બાળકો ને લગતા દાંત ના રોગોનું નિદાન અને સારવારની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું તે ઓ એ જણાવ્યું હતું. પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક શિવ આર્કેડમાં રવિવારે શુભારંભ થનાર શ્રીજી નેત્રાલય અને શ્રીજી ડેન્ટલ કલીનીક ના પ્રારંભ થી પાટણ શહેરની તબીબી સુવિધામાં વધારો થશે. વેલડન ડો. નિખિલ ખમાર અને ડો નિયતિ ખમાર વેલડન…

Share post:

Subscribe

Popular

More like this
Related

સરસ્વતીના ઓઢવા ગામે જોગમાયા માતાજીનાં મંદિર ને તસ્કરો એ નિશાન બનાવી રૂ. 2.67 લાખની તસ્કરીને અંજામ આપ્યો..

મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થતાં પોલીસે તપાસના...

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી..

પાટણના અધાર ગામે ભક્તિ સંગીતના સુરો વચ્ચે શ્રી કુંવારીકા માતાજીની રથયાત્રા નીકળી.. ~ #369News