NCPCR ન્યુ દિલ્હી ના પરિપત્ર મુજબ પાટણમાં 94, સરસ્વતીમાં 18, ચાણસ્પામાં 4, શંખેશ્વરમા 4 અને સિદ્ધપુરમાં 5 મદ્રેસા નો સમાવેશ…
પાટણ તા. ૧૮
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ન્યુ દિલ્હી ના પરિપત્ર આધારે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા મા આવેલા મદ્રેસાઓમા શિક્ષણલક્ષી સરવે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગને મળેલ પરિપત્ર આધારે શિક્ષણ વિભાગે પણ જુદી જુદી 50 અધિકારીઓ અને કમૅચારીઓની ટીમો બનાવી પાટણ જિલ્લાના 125 મદ્રેસા ઓના સરવેની કામગીરી હાથ ધરી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
પાટણ જિલ્લાના મદ્રેસાઓના સરવે બાબતે વધુ માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કુલ 125 મદ્રેસાઓના સર્વે માટેની યાદી મળેલી છે જેમાં પાટણ માં 94 સરસ્વતીમાં 18, ચાણસ્મામાં 4 શંખેશ્વરમાં 4 અને સિદ્ધપુરમાં 5 મદ્રેસાની શિક્ષણ લક્ષી સર્વેની કામગીરી શિક્ષણ વિભાગના 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ બનાવી શરૂ કરવામાં આવી છે.
જુદી જુદી ટીમો પૈકી એક ટીમ ને ત્રણ ત્રણ મદ્રેશા નો સર્વે કરવાની સુચના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર માં સૂચવેલા જુદા જુદા મુદ્દે કામગીરી સોપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. શિક્ષણ વિભાગની ટીમ દ્વારા 125 મદરેસાઓની શિક્ષણ લક્ષી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ રાજ્યના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવનાર હોવાનું પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ શ્યામી